પ્રેમલ ત્રિવેદી/પાટણ: જિલ્લાના સિદ્ધપુરમાં પ્રેમી પંખીડાએ પ્રેમમાં સફળતા ન મળતા ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. સિદ્ધપુરની સરસ્વતી નદીની પાસે બાવળોની ઝાડીઓમાં ઝાડ પર લટકેલી હાલતમાં યુવક અને યુવતિની લાશ મળી હતી. આ પ્રેમી પંખીડાએ ક્યાં કારણો સર આત્મહત્યા કરી તે અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરસ્વતી નદીના પટમાં પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લેતા સ્થાનિક ગામના લોકોના ટોળા ઉમટ્યા હતા. સાથે જ ગામ લોકો દ્વારા સિદ્ધપુર પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંન્ને પ્રેમી પંખીડાઓ દ્વારા ક્યાં કારણો સર આત્મહત્યા કરી તે અંગેની તપાસ શરૂ કરી હતી. બંન્ને પ્રેમી પંખીડા સિદ્ધપુર તાલુકાના હોવાનું અનુમાન પોલીસ દ્વારા લગાવામાં આવ્યું છે.


આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ સહિત ઉત્તર ગુજરાતમાં થશે મેઘમહેર



સિદ્ધપુર પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને મૃતકોને ઝાડ પરથી નીતે ઉતારીને તેમની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ બંન્ને યુવક અને યુવતિઓએ ક્યાં કારણોથી આત્મહત્યા કરી તે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા બંન્નેની ઓળખ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.