Ambalal Patel Cyclone Alert Prediction : ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય છતાં નવરાત્રિ દરમિયાન એક એવી મજબૂત સિસ્ટમ એક્ટિવ થઈ છે, જેનાથી વરસાદ આવશે. નવરાત્રિના કેટલાક નોરતાઓમાં વરસાદ પડવાની શક્યતા છે. ખાસ કરીને 17 થી 19 સપ્ટેમ્બરની વચ્ચે ભારે પવન અને કરા સાથે વરસાદ પડી શકે છે. આનુ કારણ વાવાઝોડાની અસર છે. બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં વધુ એક વાવાઝોડું દસ્તક આપી રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતીઓના સૌથી મોટા તહેવાર નવરાત્રિ પર પડશે. આ નવરાત્રિમાં મેઘરાજા ખેલૈયાઓનો ખેલ બગાડશે. 
 
હવામાન વિભાગ દ્વારા નવરાત્રિમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, 17થી 19 વચ્ચે પશ્ચિમી વિક્ષેપને લઈ વરસાદની શક્યતા છે. હિમાચલથી ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. આગામી સમયને લઈ હવામાન વિભાગની આગાહી છે. આગામી 14 તારીખ સુધી વરસાદની શક્યતા નહિવત છે. પરંતું 14 ઓક્ટોબર બાદ વેસટર્ન ડિસ્ટર્બન્સની શક્યતા છે. 14 ઓક્ટોબર બાદ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. હાલ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી દુર્ઘટના માટે જયસુખ પટેલ જવાબદાર : SIT રિપોર્ટમાં થયા આવા અસંખ્ય મસમોટા ખુલાસા


નવરાત્રિ બગાડશે વરસાદ
ખેલૈયાઓ માટે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, મેઘરાજા નવરાત્રિની મજા બગાડશે. 17,18,19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદની આગાહી છે. આ દિવસોમાં નવરાત્રિ છે. આ દિવસોમાં ઉત્તર અને મધ્યગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે ગુજરાતમાં વરસાદની આગાહી છે. 12 ઓક્ટોબરે અરબસાગરમાં હાઈપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 16 થી 24 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાતની શક્યતા છે. 


શિયાળો ક્યારે આવશે 
શિયાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે, 7 થી 10 ઓક્ટોબરમાં દેશમાં પહેલી હિમ વર્ષા થશે. જેના કારણે તાપમાન ઘટતા ગુજરાતમાં વાદળવાયું આવવાની શક્યતા છે. આ બાદ બીજી હિમ વર્ષા 14 ઓક્ટોબર આવશે. 17-19 ઓક્ટોબરે ભારે હીમવર્ષા ઉત્તરીય પ્રદેશોમાં થશે. જેના કારણે રાજસ્થાનના ગુજરાત સાથે સંલગ્ન ભાગોમાં વરસાદ થશે. 


ગુજરાતના રસ્તાઓ પર લાશોના ઢગલા, ત્રણ અકસ્માતમાં 12 લોકોના મોતથી રસ્તા થયા રક્તરંજિત


તો નવરાત્રિમાં વરસાદની આગાહી વિશે અંબાલાલ પટેલે કહ્યું કે, 17 ઓક્ટોબરે નવરાત્રિમાં ગુજરાતમાં વરસાદ ત્રાટકશે. ઉત્તર અને મધ્ય ગુજરાતનાં ભાગોમાં વરસાદની શક્યતા છે. 18-19 ઓક્ટોબરે ગુજરાતમાં વરસાદ રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદની શક્યતા છે. 13-14-15 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળવાયુ વાતાવરણ રહેશે. 


ગુજરાતમાં વરસાદની આગાહી કરતા તેમણે જણાવ્યું કે, 12 ઓક્ટોબરે આરબ સાગરમાં હાઇપ્રેશર બનશે. 20 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. પૂર્વીય દેશો તરફથી આવતા ચક્રવાતના આવશેષ રૂપે બંગળાની ખાડીમાં હલચલ રહેશે. 16-24 નવેમ્બરમાં પણ બંગાળના ઉપસાગરમા ચક્રવાતની શક્યતા છે. 


પ્રેમ લગ્નનો રિવાજ બદલવાની તમામ સમાજની માંગ : 32 સમાજના અગ્રણીઓએ કમર કસી


આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ છે કે, આસામના આ સૂકા અને ઠંડા પવનો ભટકાઇ પડે છે. જેના કારણે ખબર લઇ નાંખે તેવા ચક્રવાત થશે. જેના કારણે આ વરસાદ મોસમી પવનોથી થાય છે. 10 તારીખ પછી હવે જે ચક્રવાત થશે તે બંગાળ ઉપસાગરમાં ખબર લઇ નાંખે તેવા હશે. વાવાઝોડું ઉલટાતું જશે તેમ તેમ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનતા જશે.


અંબાલાલ પટેલે જણાવ્યું કે, દક્ષિણ ચીન તરફ એક સાયક્લોન બન્યું છે જે તાઇવાનના ભાગથી બંગાળના ઉપસાગરમાં આવશે. જેના કારણે આ સિસ્ટમ ફરી બંગાળના ઉપસાગરમાં ફરી હલચલ મચાવી શકે છે. જેથી 10મી ઓક્ટોબરની આસપાસ બંગાળના ઉપસાગરમાં ફરી ચક્રવાતનું એંઘાણ છે. આ સાથે અરબ સાગરમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે. આ સિસ્ટમ 10થી 12 ઓક્ટોબરમાં ફરી અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય બનીને મજબૂત થઇ શકે છે.


જામનગરના MLAને ફોન આવ્યો : તમને તકલીફ છે, ઈચ્છા પૂર્ણ કરવા 51 હજારની વિધિ કરવી પડશે