જામનગર: જિલ્લાનાં કાલાવડ તાલુકાનાં દાણીધારમાં સંતવાણીનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. 28મી સપ્ટેમ્બરે લોકડાયરાનો મધરાતે યોજાયેલા આ કાર્યક્રમમાં લોક ડાયરમાં જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. ડાયરામાં જાણીતા લોકડાયરાના કલાકાર રાજભા ગઢવી પર ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. મહત્વપૂર્ણ છે કે કરણી સેનાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અનેક લોકો દ્વારા ડાયરામાં રૂપિયાનો વરસાદ કરાયો હતો.