Heart Attack : ગુજરાતમા હવે કોરોના કરતા વધુ ડર હાર્ટએટેકથી લાગી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાગ દિવસોથી હાર્ટએટેકથી મોતનો રાફડો ફાટ્યો છે. ખાસ બાબત તો એ છે કે, યુવાઓને હાર્ટએટેક આવી રહ્યો છે. ત્યારે આવું કેમ થઈ રહ્યું છે તે જાણવામાં તબીબો લાગ્યા હતા. ત્યારે હવે આનું સાચુ કારણ મળી ગયું છે. નિષ્ણાતોના મતે આ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ અને શરીરમાં પ્લેક ફાટવાને કારણે આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. હાલ ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં જ 8 લોકોના હાર્ટ અટેકના કારણે મૃત્યુ થયા છે. જેમાં ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે લોકોના ફરજ દરમિયાન મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ, અમદાવાદ, કપડવંજ, હાલાર, સુરતમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં 15 દિવસમાં 10ને હાર્ટ એટેક
ગુજરાતમાં દિવસે ને દિવસે હાર્ટ-એટેકના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 લોકોનાં હૃદય બંધ પડી ગયાં છે. સુરતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આંકડો કહે છે કે, 15 દિવસમાં 10 હાર્ટ એટેક મોતના બનાવો છે. સુરત શહેરમાં સતત બીજા દિવસે બે યુવાનોના હાર્ટ એટેકના કારણે મોત નિપજે છે. આ આંકડા ફક્ત સિવિલ હોસ્પિટલના છે. ખાનગી હોસ્પિટલના આંકડા ખૂબ જ ચોંકાવનારા હોઈ શકે છે. 


ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિએ આર્થિક પછાતનું સર્ટિફિકેટ કાઢીને દીકરીનું એડમિશન કરાવ્યું


કપડવંજમાં ગરબા રમતા રમયા કિશોરનું મોત
ખેડાના કપડવંજમાં ગરબા રમતા 17 વર્ષીય કિશોરનું ગરબા રમતા હાર્ટએટેક આવ્યો હતો. હાર્ટ એટેક દરમિયાન 17 વર્ષીય કિશોરનું મૃત્યુ થયું છે. નવરાત્રિના છઠ્ઠા નોરતાએ કપડવંજમાં વીર શાહ નામનો કિશોર ગરબા રમી રહ્યો હતો, ત્યારે એકાએક તેના નાકમાંથી બ્લીડીંગ થયું હતું. જેના બાદ કિશોરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ હાજર ડૉક્ટરે કિશોરને મૃત જાહેર કર્યો હતો. શારીરીક રીતે સ્વસ્થ 17 વર્ષીય કિશોરને ગરબા રમતા હાર્ટએટેકથી મોત થતા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.


ગુજરાતમાં અહીં પુરુષો પગની આંટી વાળીને કરે છે ખાસ ગરબા, મહિલાઓને રમવા પર છે પ્રતિબંધ


નવસારીમાં ગરબા બાદ યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો
નવસારી જિલ્લામાં નવરાત્રિ દરમિયાન હાર્ટ એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ વિજલપોરના મૃણાલ શુક્લાનું ગુરુવારે રાતે એટેકથી મોત નિપજ્યુ છે. ગરબા રમીને આવ્યા બાદ મૃણાલને છાતીમાં દુઃખાવો ઉપડયો હતો, સારવાર મળે એ પૂર્વે મોત આવ્યુ હતું. નવસારી જિલ્લામાં છેલ્લા 6 મહિનામાં બે વિદ્યાર્થીઓ સહિત 5 લોકોએ હાર્ટ એટેકને કારણે જીવ ગુમાવ્યો છે. 


હાલાર પંથકમાં હ્રદયરોગના હુમલાનો સિલસિલો યથાવત...
દેવભૂમિ દ્વારકા જિલ્લા હ્રદયરોગ હુમલાના કારણે બેના મોત થયા છે. જામ ખંભાળીયાના મોટા આંબલા ગામના અમીતભાઇ સંઘાર નામના 31 વર્ષ ના યુવાનનું હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. તો જામ ખંભાળીયાના રામનગર વિસ્તારમાં રહેતા રવજીભાઈ કણજારીયા નામના 72 વર્ષના પ્રોઢને હાર્ટએટેક આવતા મોત નિપજ્યું છે. 


અરબી સમુદ્રમાં આવી રહેલા 'તેજ' વાવાઝોડાથી ગુજરાતમાં કેટલો ખતરો? IMDએ આપી માહિતી