રાજેન્દ્ર ઠકકર, કચ્છ: કચ્છના નખત્રાણા તાલુકાના સાંયરા ગામ પાસે આવેલા ઋષિ ડુંગર (ભીખુ ઋષિ એ અંહિ તપ કર્યું હતું ) પર મેઘમાહોલના સમયે મનોહર દ્રષ્યો સર્જાઇ રહ્યા છે. ડુંગર અને આસપાસની પર્વતમાળાઓ પર પસાર થતા વાદળો વાતાવરણને ખુશનુમા બનાવી જાય છે. અહીં સહેલાણીઓ ઉપર અને વાદળાંઓ નીચેથી પસાર થતા કુદરતના સૌંદર્યનો અદભુત નજારો સર્જાતો હોય છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રસિદ્ધ દેવપર યક્ષથી માત્ર 3 કિલોમીટરના અંતરે આવેલા ઋષિ ડુંગર અને 1388 પગથિયાં ચડતા સાંયરી માતાજીનું મંદિર ધાર્મિક સાથે પ્રવાસનનું ઉત્તમ સ્થળ છે. હાલમાં સમયાંતરે પડતી ધીમી વર્ષાના પાણી પથ્થરો વચ્ચેથી ખળખળ વહેતા જોવાથી મુલાકાતીઓ ખુશખુશાલ થઈ જતા હોય છે. અહીં હિલ સ્ટેશન જેવા દ્રશ્યો જોવા મળતા વિકેન્ડની રજાઓ માણવા લોકો સહપરિવાર ઉમટી રહ્યા છે.

Gujarat Monsoon: વરસાદે તોડ્યો 50 વર્ષ જૂનો રેકોર્ડ, આ વખતે જુલાઈમાં સૌથી વધુ 24 ઈંચ વરસાદ



ભુજ નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા પ્રસિદ્ધ દેવપર યક્ષથી માત્ર 3 કિલોમીટર દૂર સાંયરા ગામ નજીકના ભીખુ ઋષિ ડુંગર અહીં સ્થાપિત સાંયરી માતાજીના મંદિરથી પ્રસિદ્ધ છે. ડુંગર આસપાસની નાની પર્વતમાળાઓ વર્ષા ઋતુમાં હિલ સ્ટેશનને ભુલાવે તેવી રમણીય બની રહે છે. અહીં વાદળોની ઘેરાબંધી સર્જાતા આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ભીખુઋષિ નામે જાણીતા ડુંગર પર હરિયાળી ચાદર છવાઈ જતા પ્રકૃતિને પામવાનો અહેસાસ થતો હોય છે. 


આ વિશે પરિવાર સાથે ફરવા આવેલા લોકો રોમાંચિત થઇ કહ્યું હતું કે ઊંચાઈએ આવેલા આ સ્થળે પહોંચવાથી ઉપર વાદળો અને નીચે સહેલાણીઓ હોય ત્યારે કુદરતી સૌંદર્ય અલગ જ અનુભૂતિ થાય છે. આ સ્થળે મોટી સંખ્યામાં મોર, ઢેલ તેમજ અન્ય પક્ષીઓના આશ્રય બની જતા આ વિસ્તારના કુદરતના સાનિધ્યમાં મનમોહક બની ઉઠે છે. 

PM મોદી આજે ફરી આવશે ગુજરાત, 'GIFT' માં આપશે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ


આ બધું જોઈ ડુંગર ચડવાનો થાક પણ ભૂલી જવાય છે. અલબત્ત કચ્છમાં કુદરતી અખૂટ કમાલ ધરાવતા અનેક સ્થળો મોજુદ છે પરંતુ યોગ્ય દિશા નિર્દેશ અને માહિતીના અભાવે ખ્યાતિ પામી શકતા નથી. પ્રવાસન વિભાગ દ્વારા નાના મોટા બિનચર્ચિત સ્થળોની યાદી બનાવી પ્રવાસન સ્થળોની લઘુ યાદીમાં સમાવેશ કરાય એવી પ્રકૃતિપ્રેમીઓ આશા રાખી રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube