અમદાવાદ : આજે આખા દેશના ડોક્ટર્સની એક દિવસની પ્રતિક હડતાલ છે. આ હડતાલમાં ગુજરાતના 27 હજાર ડોક્ટર્સ પણ શામેલ છે.  જોકે આ હડતાલ સાંજના 6 વાગ્યા સુધી જ છે પણએ પાછળ મોટું કારણ જવાબદાર છે. મળતી માહિતી પ્રમાણે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા એનએમસી બિલ 2017ના વિરોધમાં એક દિવસની પ્રતિક હડતાલનું એલાન કરાયું છે. જેમાં તબીબો સવારે સાંજે છ વાગ્યા સુધી હડતાલ પર છે. જોકે આકસ્મિક સેવાઓ, ટ્રોમા સેન્ટર ચાલુ  છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NMC  બિલ-2017ના આગમન સમયે ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં ખાનગી મેડિકલ કોલેજોએ એમબીબીએસના પ્રત્યેક વર્ષ માટે રૂપિયા 25 લાખથી  રૂપિયા 30 લાખની ફી ઉઘરાવવાનું શરૂ કર્યું છે. આ ઉપરાંત ધનિકો માટે 50 ટકા બેઠકોની અનામત સમાન તકો નથી આપતી. 


કેન્દ્ર સરકાર 30 જુલાઇના દિવસે નેશનલ મેડિકલ કમિશન બિલ સંસદમાં રજૂ કરે તેવી સંભાવના છે. ત્યારે આ બિલના વિરોધમાં તબીબો હડતાલ પર છે. ઇન્ડિયન મેડિકલ અસોશિયેશનની દલીલ છે કે આ બિલનો અમલ થશે તો ગરીબો અને વંચિત વર્ગ માટે તબીબી શિક્ષણ અપ્રાપ્ય બની જશે અને સમાજના માત્ર ધનિક-સાધન સંપન્ન પરિવારમાંથી આવતા સંતાનો જ ડોક્ટર બની શકશે. 


ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...