પાલનપુર: પાલનપુરમાં વાલીઓ દ્વારા શાળાને તાળાબંધી કરવામાં આવી હતી. પાલપુરની સ્વમાન નગર શાળામાં બાળકોને ભણાવતી એક શિક્ષિકા દ્વારા વિદ્યાર્થીઓને કરવામાં આવતી હેરાનગતિના ભાગ રૂપે વાલીઓ રોષે ભરાઇને તાળાબંધી કરી હતી. આ શાળામાં ભણાવતા નસીબાબાનું નામની શિક્ષિકા બાળકો અને વાલીઓને હેરાનગતિ કરતી હોવાની અવાર-નવાર ફરિયાદ કરવામાં આવી હતી. જેની બદલી અંગે અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તેની બદલી ન થતા રોષે ભરાયેલા વાલીઓએ જ્યાસુધી આ શિક્ષિકાની બદલી નહિ થાય ત્યાં સુધી શાળાઓમાં તાળાબંધી કરવામાં આવી છે. પાલનપુર વિસ્તારમાં શાળાને તાળાબંધી કરવાના બનાવો બની રહ્યા છે.