Janmashtami 2022: 19 ઓગસ્ટે સમગ્ર દેશમાં જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી મનાવવા આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં આ તહેવારની જોશભેર ઉજવણી થાય છે. ગુજરાતના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ચાર ધામોમાંથી એક છે. ત્યારે જન્માષ્ટમીના પાવન અવસરે દ્વારકા મંદિર સંબંધિત કેટલીક રોચક વાતો જાણીએ. ગુજરાતનું દ્વારકા સુપ્રસિદ્ધ મંદિર હિંદુઓનું પ્રસિદ્ધ ધાર્મિક સ્થળ છે. અહીં ભગવાન દ્વારકાધીશની પૂજા થાય છે. જેનો અર્થ થાય છે દ્વારકાના રાજા. દ્વાપર યુગમાં દ્વારકાના ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધ્વજા પૂજનનુ ખાસ મહત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હિંદુ ધર્મમાં જે ચારધામની યાત્રાનું મહત્વ છે, તેમાંથી એક એટલે દ્વારકા અને અહીં આવેલું છે દ્વારકાધીશ કૃષ્ણનું મંદિર. આ એ જ જગ્યા છે જ્યાં હજારો વર્ષ પહેલા દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. આ ધજાની કેટલીક ખાસિયતો છે. ધજાની કેટલીક ખાસિયતો એ છે કે પવન ગમે તે દિશાનો હોય આ ધજા હંમેશા પશ્ચિમથી પર્વ તરફ લહેરાય છે. ચલો જાણીએ આવી જ બીજી રોચક વાત..


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube