ઉદય રંજન/અમદાવાદ :રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. તો બીજી તરફ, ડીસીપી ધર્મેન્દ્ર શર્માએ નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ : બીટકોઈન ટ્રેડરની આત્મહત્યા, સ્યુસાઈડ નોટમાં લખ્યું DYSP ચિરાગ સવાણીનું નામ


ડીસીપીએ તપાસની ખાતરી આપી
ભરત પટેલના આપઘાતનો મામલે ડીસીપી ઝોન-2 ધર્મેન્દ્ર શર્માએ કહ્યું કે, પીઆઇ કક્ષાના અધિકારી તપાસ કરાશે અને સીધું મારુ સુપરવિઝન રહેશે. FSLમાં સ્યુસાઇડ નોટ તપાસ માટે મોકલાશે. આ મામલે હેન્ડ રાઇટિંગ એક્સપર્ટની પણ મદદ લેવાશે. તમામ બાબતે નિષ્પક્ષ તપાસ કરીને ગુનો બનશે તો દાખલ કરવામાં આવશે. ગુજરાતમાં બીટકોઈન પર પ્રતિબંધ છે, તેમ છતાં પોલીસ અધિકારીએ તેનો ઉપયોગ કર્યો હશે તો તે બાબતે પણ કાર્યવાહી કરાશે. આમ, તેમણએ પરિવારજનોને આશ્વાસન આપતા ડેડબોડી સ્વીકારવા ખાતરી આપી છે. તો બીજી તરફ, પરિવારે પણ ભરત પટેલના મૃતદેહને સ્વીકારવાની તૈયારી બતાવી હતી. 


વિશાલ કગથરાની અંતિમયાત્રા નીકળી, ધ્રૂસકેને ધ્રૂસકે રડી પડ્યા પિતા લલિત કગથરા


ચંદન ચોરીમાં પણ Dysp ચિરાગ સવાણીનું નામ આવ્યું હતું
ભરત પટેલ આત્મહત્યા કેસમાં જે Dysp ચિરાગ સવાણીનું નામ આવ્યું હતું, તેમના પર અગાઉ પણ આક્ષેપ થઇ ચૂક્યા છે. ગાંધીધામમા ચંદન તસ્કરી કેસમાં પણ તેમની સામે આરોપ મૂકાયો હતો. તે સમયે પણ ચિરાગ સવાણી પર ઈન્ક્વાયરી કરવામા આવી હતી. ચંદન તસ્કરીનો વિવાદ થતા ચિરાગ સવાણીની બદલી કરવામાં આવી હતી.


જો આવું જ ચાલતુ રહ્યું તો ગુજરાતને ‘ઉડતા પંજાબ’ બનતા વાર નહિ લાગે


ખુશખુશાલ કરી દેશે અમરેલીની કેરીની વાડીઓમાંથી મળેલા આ ન્યૂઝ


રાણીપમાં રહેતા બીટકોઈનના બ્રોકર ભરત પટેલે ગત મોડી રાતે ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી. મૃતક ભરત પટેલ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી આવી છે. વેપારી ભરત પટેલને બીટકોઈન ટ્રેડિંગમાં મોટું નુકશાન થયું હતું. જેમાં 11,575 બીટકોઈનના હિસાબ મામલે ડીવાયએસપી ચિરાગ સવાણી ત્રાસ આપતા હતા, જેના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે. રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે. ભરત પટેલે સ્યુસાઈડ નોટમાં ડીવાયએસપી ચિરાગ પટેલની સાથે તેમના ભાઈ હર્નિશ સવાણીના નામ લખીને બંને ત્રાસ આપતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. ગઈ કાલે ડીવાયએસપી અને તેના ભાઈ ભરત પટેલને મળવા ઘરે આવ્યા હતા. જેના બાદ રાત્રે ભરત પટેલે ગળે ફાંસો ખાધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV