ચેતન પટેલ/ સુરતઃ સુરતના વરાછા વિસ્તારમા એક નજીવી બાબતે મોટા ભાઇએ નાના ભાઇને મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી જવા પામી હતી. જમતી વેળાએ છાશ ઢોળાઇ જતાં બંને ભાઇઓ વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં મોટાભાઈએ નાના ભાઈની હત્યા કરી નાખી. પોલીસે માતાની ફરિયાદના આધારે મોટાભાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૂળ ભાવનગર જિલ્લાના પાવઠી ગામના વતની ભુપત ભવાનવાળા પરિવાર સાથે છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં બોમ્બે માર્કેટ-પુણા રોડ પર ઇશ્વરનગર સોસાયટીમાં ભાડેથી રહે છે. પરિવારમાં પત્ની, બે પુત્ર, એક પુત્રવધુ અને એક પુત્રી છે. મોટો પુત્ર રાજુ અને નાનો પુત્ર ઘનશ્યામ બંને રત્ન કલાકાર છે. મંગળવારે રાત્રે દસેક વાગે રાજુ અને ઘનશ્યામ સાથે જમવા માટે બેઠા હતા. 


જમતા દરમિયાન નાના ભાઈ ઘનશ્યામથી ભુલથી છાશ ઢોળાઈ ગઈ હતી. આથી મોટાભાઈ રાજુએ નાના ભાઈ ઘનશ્યામને કહ્યું કે, છાશ કેમ ઢોળે છે. ઘનશ્યામે સામે જવાબ આપ્યો કે, ભલે ઢોળાઈ, તારે ક્યાં સાફ કરવાની છે. મમ્મી અને બેન સાફ કરશે. 


અનોખો કિસ્સોઃ 14 પાલતુ પ્રાણી સાથે અમદાવાદ ફરવા આવી USની મહિલા


નાનાભાઈનો જવાબ સાંભળીને મોટોભાઈ રાજુ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે, તારે જ સાફ કરવી પડશે અને અત્યારે જ સાફ કર. ઘનશ્યામે સાફ કરવાની ના પાડતા રાજુએ તેને એક તમાચો મારી દીધો હતો. આથી, બંને વચ્ચે ઝપાઝપી થવા લાગી. રાજુએ ગુસ્સામાં આવીને નજીકમાં પડેલું ચપ્પુ ઘનશ્યામને મારી દીધું હતું. 


ગુજરાતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...