ભુજ : જિલ્લાના ધાણેટી ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આધેડની શંકાસ્પદ લાશ મળી આવી હતી. પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઇ હીરાભાઇ કોળીનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં મૃત્યુ પામનાર વ્યક્તિએ શારીરિક અડપલા કર્યાની આશંકાએ દંપત્તિએ ધોકાથી મારમારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ શંકાના આધારે 4 લોકોની ધરપકડ કરીને વધારે તપાસ આદરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે બોમ્બ આતંકવાદીઓને પણ માંડમાંડ મળે તે બોમ્બ ખેડૂતો ચણા-મમરાની જેમ વાપરે છે!


ભુજના ધાણેટી ગામે આધેડની શંકાસ્પદની લાશ મળતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. હત્યાનો બનાવ સામે આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસમાં આરોપી દંપત્તિની ધરપકડ કરાઇ છે. ધાણેટી ગામે પ્રતાપનગર કોલીવાસની પાછળ પડતર જમીનમાં બાવળની ઝાડીઓમાં લાખાભાઇ કોળીની લાશ મળી આવતા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મૃતક વૃદ્ધના શરીરે ઇજાના નિશાન હોવાથી પોલીસે શંકાના આધારે મૃતકના વિશેરા જામનગર ખાતે મોકલી આપ્યા હતા. 


ડૉ.રઘુ શર્માએ કહ્યું ભાજપમાં જાય છે એ કચરો છે, જીતી શકે એવા નથી


દરમિયાન બારીકાઇથી તપાસ કરતા મૃતક વૃદ્ધના શરીરે ઘાના નિશાન મળી આવ્યા હતા, જેથી શંકાના આધારે મૃતકના વિશેરા જામનગર ખાતે મોકલ્યા હતા. જ્યાં માર મારવામાં આવ્યું હોવાનું સામે આવતા બારીકાઇથી તપાસ કરતા ગામના જ એક કુટુંબ સાથે આ લોકોનો ઝગડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ ઝગડાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. હાલ તો પોલીસ દ્વારા આરોપીઓને રાઉન્ડઅપ કરીને પુછપરછ ચલાવવામાં આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube