હિતલ પારેખ, ગાંધીનગર: ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિને ગુજરાત ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે રાજ્યની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુજરાતના કોરોના વોરિયર્સ વિશે ચિત્ર, નિબંધલેખન અને કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થીઓએ ઘરે બેઠા બેઠા સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે. પ્રાથમિક વિભાગ ધોરણ ૩ થી ૮ અને માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ધોરણ ૯ થી ૧૨ એમ બે વિભાગમાં સ્પર્ધા યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિદ્યાર્થીએ નિબંધ અને કાવ્ય લેખન ગુજરાતી, હિન્દી કે અંગ્રેજી એમ કોઈપણ ભાષામાં કાગળની એક બાજુએ સુવાચ્ય અક્ષરે લખવાનો રહેશે. જ્યારે  ચિત્ર સ્પર્ધા માટે લૉકડાઉનના સંજોગો હોય  ડ્રોઈંગ પેપર ઉપલબ્ધ ન હોય તો પોતાના ઘરમાં ઉપલબ્ધ સારા કાગળમાં ચિત્ર દોરવાનું રહેશે અને કોઈપણ કલરનો ઉપયોગ કરી શકાશે. વિદ્યાર્થી વધુમાં વધુ બે  સ્પર્ધામાં ભાગ લઇ શકશે. 
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર