અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદમાં યોજાનાર બાગેશ્વરધામ સરકારના 'દિવ્ય દરબાર' ની એક્સક્લુઝીવ આમંત્રણ પત્રિકા Zee 24 કલાકને હાથ લાગી છે. રાધિકા સેવા સમિતિ તરફથી 5 પેજની આમંત્રણ પત્રિકા તૈયાર કરાઈ છે. આમંત્રણ પત્રિકાના ચોથા પેજ પર મુખ્ય મહેમાન તરીકે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ગુજરાતના 9.38 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં કર્યો વધારો


સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને આપવામાં આવશે 1.25 લાખની અદ્દભુત ગદા,15 દિવસમાં થઇ તૈયાર


આમંત્રિત અતિથિઓમાં અમદાવાદમાં આવેલી જુદી જુદી વિધાનસભા, ગાંધીનગર, કલોલ વિધાનસભા બેઠકના 14 જેટલા ભાજપના ધારાસભ્યો તેમજ AMCની જુદી જુદી કમિટીઓના પદાધિકારીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રીજા પેજ પર ઋષિ ભારતીજી, દિલીપદાસજી મહારાજ, વિશ્વેશ્વરી ભારતીજી, અખિલેશ્વરદાસ મહારાજ તેમજ જુદા જુદા મહંતોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



સૌથી મોટા ખુશખબર! ગુજરાતમાં S.T.બસના ડ્રાઈવર અને કંટકટરોની થશે ભરતી


પ્રથમ પેજ પર આમંત્રિતનું નામ તેમજ 29 તારીખે દિવ્ય દરબાર અને 30મીએ પ્રવચન તેમજ આશીર્વાદ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજા પેજ પર નિમંત્રક, જેમાં રાધિકા સેવા સમિતિના તમામ હોદ્દેદારોને નામ તેમજ કાર્યક્રમ સ્થળ શક્તિ ચોક, ચાણક્યપુરીનો ઉલ્લેખ કરાયો છે. 



હવે તો હદ થઈ! વિધવા પુત્રવધૂને પ્રોપર્ટી ન આપવી પડે એટલે 58 વર્ષની સાસુએ દીકરો જણ્યો


આમંત્રણ પત્રિકામાં કોંગ્રેસના એકપણ ધારાસભ્ય કે પદાધિકારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અને ઇમરાન ખેડાવાલા તરફથી કનફર્મેશન ના મળતા આમંત્રણ પત્રિકામાં બંનેના નામનો ઉલ્લેખ કરાયો નથી. આમંત્રણ પત્રિકામાં છેલ્લા પેજ પર વિશેષ તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો તેના લોગો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.



ગુજરાતમાં 1500થી વધુ લોકો માટે રોજગારીની શાનદાર તક, એક જ દિવસમાં 5000 કરોડના MoU