Surendra Nagar Heatwave : ગુજરાતમાં ગાભા કાઢી નાંખો તેવી ગરમી પડી રહી છે. ગરમીનો પારો એટલો ઉંચકાયો છે કે, શરીર દાઝી જાય. આવામાં આજે શનિવારે સુરેન્દ્રનગર જિલ્લો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. 44.7 ડિગ્રી તાપમાન સાથે સુરેન્દ્રનગર જિલ્લાએ વર્ષ 2024 ની ગરમીના તમામ રેકોર્ડ તોડ્યા છે. અહીં આગ ઝરતી ગરમીમાં લોકોને બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરેન્દ્રનગર સૌથી હોટ 
હવામાન વિભાગના આંકડા અનુસાર, આજે સુરેન્દ્રનગર જિલ્લો ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો બન્યો છે. સુરેન્દ્રનગરનું તાપમાન 44.7 ડિગ્રીએ પહોંચ્યું છે. જે કારણે લોકોને ઘર બજાર ન નીકળવા અપીલ કરાઈ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. બાળકો અને વૃધ્ધો હીટસ્ટ્રોકથી બચે તે અંગે પણ અપીલ કરાઈ છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે. 


ફોન લગાવો અને સીઆર પાટીલ સાથે નાસ્તો કરો, ગુજરાતના એક શહેરમાં અપાઈ અનોખી ઓફર


વડોદરામાં ડુંગળી લસણનો ઉપયોગ વધ્યો
શહેરમાં ગરમીનો પારો વધતા વડોદરા નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગરમીથી બચવા નાગરિકો હાલ ઠંડક અપાવે તેવી વસ્તુઓનો સહારો લઈ રહ્યાં છે. ગરમીમાં લૂ ના લાગે તે માટે ડુંગળી લસણનો પણ ઉપયોગ કરી રહ્યા છે. ગરમીથી બચવા માટે લોકો બપોરના સમયે બહાર જવાનું ટાળી રહ્યાં છે. 


ગુજરાતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે મોટા સમાચાર, હવે અહીં લગાવાશે મીટર


હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, ભાવનગર, સુરેન્દ્રનગર , પોરબંદર, કચ્છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી રહેવાની શક્યતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન 44 ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્જ એલર્ટની આગાહી છે. સૌથી વધુ 44.7 ડિગ્રી સુરેન્દ્રનગરમાં નોંધાયું છે. 


અંબાલાલ પટેલે તારીખ સાથે કરી વાવાઝોડાની આગાહી, ગુજરાત પર સીધું ત્રાટકશે


તંત્ર દ્વારા નાગરિકોને સલાહ 
બપોરે 2થી 4 ઘરની બહાર ન નીકળવા તંત્રએ સલાહ આપી છે. ગરમી વધવાની શક્યતાને પગલે તંત્રએ સચેત તેમજ સાવઘાની વર્તવા સૂચન કર્યું છે. બાળકો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધોને ખાસ પુરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ અપાઇ છે. તો લોકોને ઘરે બનાવેલા લીંબુ શરબત, વરીયાળી શરબત જેવા ઠંડક પ્રવાહી પીવા સલાહ અપાઈ છે. તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવા જોઈએ. આ સાથે, નાગરિકોને ઓરલ રીહાઇડ્રેશન સોલ્યુશન (ઓઆરએસ)નો ઉપયોગ કરવું અને લીંબુ શરબત, છાશ / લસ્સી, ફળોના રસ સાથે મિશ્રિત થોડું મીઠું જેવા ઘરે બનાવેલા પીણાં પીવા જોઈએ. પાતળા, ઢીલા, સુતરાઉ કપડાં, આછા રંગના કપડાં પહેરવાની અને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે ત્યારે છત્રીઓ, ટોપીઓ ટુવાલ અને અન્ય પરંપરાગત માથાના આવરણનો ઉપયોગ કરવું. હવામાનના અપડેટ માટે સમાચાર જોતા રહેવું.


ગુજરાતીઓ જ્યાં રાત રંગીન કરવા જાય છે એ શહેર ડૂબી જશે પાણીમાં