વડોદરા : જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામે પરિવારના વડીલના અંતિમક્રિયામાં ગયેલા સાવલીના ડોડિટા પરિવારની ગાડીને અકસ્માત નડતા ડ્રાઇવર સહિત 3 સભ્યોનાં મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય સભ્યોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. જેના પગલે તેમને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેના પગલે ટુંડાવ ગામમાં શોકની લાગણાી વ્યાપી છે. આ બનાવની જાણ વડુ પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે: PM મોદી 31 ઓક્ટોબરે કેવડિયામાં હાજર રહેશે, અધિકારીઓનો ધમધમાટ


વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં રહેતા રાબિયા છત્રસિંહ ડોડિયા (ઉ.વ 50), ભીખીબેન હિંમતસિંહ ડોડિયા (ઉ.વ 45), 6થી 7 પરિવારના સભ્યો મારુતિ વાનમાં બેસીને વડુ ખાતે રહેતા સંબંધી રતનસિંહના સસરા મૃત્યુ પામ્યા હોવાથી તેમની અંતિમક્રિયા માટે ગુરૂવારે આવ્યા હતા. અંતિમક્રિયાનો પ્રસંગ પતાવી ડોડિયા પરિવારના સભ્ય મારુતી વાનમાં પરત ફરી રહ્યા હતા. ત્યારે ટુંડાવ ગામે જવા માટે વડુથી નિકળ્યા હતા. 


VALSAD માં મહિલા કર્મચારી સાથે મોજ કરી રહેલા પુરૂષની પત્ની પણ આવી ચડી અને...


દરમિયાન પાદરા તાલુકાના મહુવડ નવાપુરા ગામ પાસે કાર ચાલકે ટક્કર મારતા મારુતિ વાન પલટી ગઇ હતી. આ ઘટનામાં રાબિયા છત્રસિંહ ડોડિયા, ભીખીબેન હિંમતસિંહ ડોડિયા અને વાન ચાલક વિજય ડોડિયાને ગંભીર ઇજાઓ થતા મોત નિપજ્યાં હતા. જ્યારે અન્ય લોકોને ઇજા થતા પ્રાથમિક સારવાર માટે સરકારી દવાખાને ત્યાર બાદ સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube