અર્પણ કાયદાવાલા, અમદાવાદ : હાલમાં અમદાવાદની એક જાણીતી રેસ્ટોરાંમાં ગ્રાહકે મંગાવેલી વાનગીમાંથી ધાતુનો ટુકડો નીકળતા મોટો ઉહાપોહ મચી ગયો છે. આ ઘટનાની વિગતો જોઈએ તો વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી ગામડું રેસ્ટોરાંમાં ભોજનની પ્લેટમાંથી ધાતુનો ટુકડો નીકળ્યો હતો. જો ગ્રાહકનું ધ્યાન ન હોય તો તેના જીવન સામે મોટી સમસ્યા ઉભી થઈ શકત. આ રેસ્ટોરાં ગાંધીનગર જિલ્લાની હદમાં આવેલી છે અને ખાવાના શોખીનોમાં ફેમસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NID સપડાયું મોટા વિવાદમાં, કારણ છે ગજબનું અટપટું


આ મામલે ગ્રાહકે ઉહાપોહ મચાવતા સામે આવ્યું હતું કે સમગ્ર રેસ્ટોરાંનું સંચાલન માત્ર કર્મચારીઓના ભરોસે ચાલી રહ્યું હતું. રેસ્ટોરાંનું સંચાલન સંચાલક કે કોઈ જવાબદાર વ્યક્તિની સદંતર ગેરહાજરી હતી. આમ, રેસ્ટોરાંની બેદરકારી સામે એવી છે.


સુરત : ત્રણ વર્ષની બાળકીના આ રેપિસ્ટને અમદાવાદમાં લટકાવી દેવાશે ફાંસીના માંચડે !
શહેરની કેટલીક રેસ્ટોરન્ટના ભોજન અને ઓનલાઈન મગાવવામાં આવતા ફૂ઼ડ કે નાસ્તામાંથી જીવડાં મળી આવવાની ઘટનાઓ વધી રહી છે. આ સંજોગોમાં બહાર જમવાનું સ્વસ્થ્ય સાથે ચેડાં કરવા જેવું સાબિત થઈ રહ્યું છે.