જય પટેલ/વલસાડ: ઉમરગામમાં આવેલા જાણીતા વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. જોકે ચારથી વધુ ફાયરફાયર ફાઇટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ધાર્મિક સિરિયલોના શૂટિંગ માટે જાણીતા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં અત્યાર સુધી અનેક જાણીતી સિરિયલોના શૂટિંગ થઈ ચુક્યા છે. અને અત્યારે આ  સ્ટુડિયોમાં ત્રણથી વધુ સીરિયલના શૂટિંગ ચાલી રહ્યા છે. જોકે રાધા ક્રિષ્ના સિરિયલનું શૂટિંગ દરમિયાન જ સેટ પર આગ લાગી હતી. અગમ્ય કારણોસર લાગેલી આગ થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ગણતરીની મિનિટોમાં સિરિયલનો આખો આખો સેટ આગની ઝપટમાં આવી ગયો હતો. જો કે ચાલુ સીરીયલ ચાલુ શૂટિંગ દરમિયાન જ આગ લાગતા શૂટિંગમાં ભાગ લઈ રહેલા કલાકારોમાં સહિત અન્ય સ્ટાફમાં  દોડધામ મચી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનામાં રાધા ક્રિષ્ના સીરીયલના શૂટિંગ માટે બનાવેલ આવેલ ભવ્ય સેટ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. સાથે જ આ સેટની બાજુમાં જ આવેલા પોરસ સિરિયલના અને  એક કન્નડ ભાષાની સીરીયલના શૂટિંગ માટે ઉભા કરાયેલા ભવ્ય સેટ પરને પણ આગની અસર થઈ હતી. મહત્વનું છે કે, આ  સ્ટુડિયોમાં સીરિયલના શૂટિંગ માટે કરોડો રૂપિયાના ખર્ચે ભવ્ય સેટ તૈયાર કરવામાં આવે છે. ત્યારે ચાલુ શૂટિંગ વખતે જ આગ લાગતા કલાકારોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ઉમરગામના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જોતાં આસપાસના વિસ્તારના ફાયર ફાઈયરોને પણ મદદ માટે બોલાવવામાં આવ્યા હતા. 


આમ ચારથી વધુ ફાયર ફાયટરોએ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી. પરંતુ શૂટિંગ દરમિયાન સોર્ટસર્કિટ કે રાધાકૃષ્ણ સીરિયલના શૂટિંગ માટે સળગાવવામાં આવેલી એક મશાલના કારણે આગ લાગી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઘટનામાં સીરિયલના શૂટિંગનો કરોડોની કિંમતનો ભવ્ય સેટ બળીને ખાખ થઇ ગયો હતો. આથી મોટા નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. તો આગમાં ભવ્ય સેટ સહિતનો સામાન બળીને ખાખ થઈ જતાં ચાલતા સ્ટુડિયોના શૂટિંગના શિડયુલને પણ અસર થઇ શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઇ નથી.