ઉદય રંજન/અમદાવાદ: ફિલ્મ સ્ટોરીની જેવી ઘટના હક્કીકતમાં બનવા પામી છે.કાર ચાલકે પુરઝડપે કાર ચલાવી સાયકલ ચાલક સાથે અકસ્માત કરતા મોત નિપજયુ હતું. આ અકસ્માતની પોલીસે ફરિયાદ નોંધી કાર ચાલકની ધરપકડ કરી હતી. જોકે પોલીસ તપાસમાં કંઈક બીજો જ ઘટસ્ફોટ થયો હતો જે સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. હકીકતમાં આ એક અકસ્માત નહિ પણ હત્યા હોવાનું સામે આવ્યું હતું એ પણ 22 વર્ષ બાદ પિતાની હત્યાનો બદલો લેવા માટે હત્યા કરાઈ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાગઠિયાનું વધુ એક કારસ્તાન! ગેરકાયદે જમીન પર ખડકી દેવાઈ સ્કૂલ, શું તંત્ર અગ્નિકાંડની


રાજસ્થાનમાં 2002માં થયેલ હત્યાનો બદલો 22 વર્ષ બાદ લેવામાં આવ્યો છે. હત્યાનો બદલો હત્યાથી જ ખૂનનો બદલો ખૂનથી જ પિતાની હત્યાનો બદલો પુત્રએ લીધો. રાજસ્થાનમાં થયેલ હત્યાનો બદલો અમદાવાદમાં પિતાની હત્યાનો આરોપીની પણ હત્યા જ કરી અકસ્માત કરીને હત્યા કરવામાં આવી. આરોપીના પિતાની હત્યા પણ અકસ્માત કરીને કરી હતી. પિતાની હત્યા જે રીતે થઇ એ જ રીતે પુત્રએ હત્યા કરી બદલો લીધો. હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી આરોપી ગોપાલસિંહ હરિસિંહ ભાટ્ટીની ધરપકડ કરવામાં આવી. પિતા હરિસિંહ ભાટ્ટીની હત્યા મૃતકે 2002માં કરી હતી. આ હત્યામાં તખતસિંહ ભાટીનું મૃત્યુ નીપજ્યું છે. મૃતક તખતસિંહ ભાટી પિતા હરિસિંહની હત્યાનો આરોપી હતો. 


ગુજરાતમાં હજું નવરાત્રીમાં ક્યાં પડશે વરસાદ; કયા વિસ્તારોમાં થશે બંધ? જાણો આગાહી


અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ જ્ઞાનદેવ પાર્ટી પ્લોટ પાસે ચાર દિવસ પહેલા એક અકસ્માતની ઘટના ટ્રાફિક પોલીસના ચોપડે નોંધાઈ હતી. જે અકસ્માતની ઘટનામાં બોલેરો કાર ચાલકે પૂર ઝડપે આવી અકસ્માત સર્જ્યો હતો અને સાયકલ સવાર સાથે કાર અથડાઈ હતી. જેમાં સાયકલ સવાર તખતસિંહ ભાટીનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જોકે અકસ્માત બાદ બોલેરો કાર ચાલક ફરાર થવાનો પ્રયત્ન કર્યો હતો પણ આસપાસના લોકો એકઠા થઈને કારચાલકને પકડીને ટ્રાફિક પોલીસને સોંપ્યો હતો. 


પ્રાથમિક નજરે પોલીસે તપાસ કરતા પુરઝડપે કાર ચલાવવાના કારણે અકસ્માત થયો હોવાનું સામે આવ્યું હતું, પરંતુ આ કારચાલક આરોપી ગોપાલસિંહ ભાટીની પૂછપરછ કરતા પોલીસને અમુક વાતો પર શંકા જતા, આ ઉપરાંત સાયકલ સવાર મૃતક તખતસિંહ ભાટીના પુત્રના નિવેદન અને તેના જણાવ્યા મુજબ કારચાલક ગોપાલસિંહ ભાટીએ અકસ્માત નહીં પરંતુ હત્યા કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. જેના આધારે પોલીસે વધુ તપાસ કરતા સમગ્ર મામલો ખરેખર અકસ્માત નહીં પરંતુ હત્યા હોવાનું સામે આવ્યો હતો અને કાર ચાલક ગોપાલસિંહ ભાટીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા માટે પ્લાન કર્યો હતો. જોકે શા માટે સાયકલ સવાર તખતસિંહ ભાટીની હત્યા કરી હોવાનું પૂછતા હત્યા પાછળ જે કારણ સામે આવ્યું તે સાંભળી પોલીસ પણ આશ્ચર્ય પામી હતી. 


Bigg Boss 18: દયા ભાભીએ રૂપિયાને મારી લાત, દીપિકાથી 4 ગણી ફી ઓફર છતાં પાડી દીધી ના


આ સમગ્ર હત્યા પાછળની હકીકતની વાત કરવામાં આવે તો તેના મૂળ રાજસ્થાન સાથે જોડાયેલા છે સાયકલ સવાર મૃતક તખતસિંહ ભાટી વર્ષ 2002માં રાજસ્થાનના જેસલમેર પાસે આવેલી એક હોટલમાં જમવા માટે ગયો હતો અને ત્યાં હોટલ માલિક હરિ સિંહ ભાટી સાથે પૈસા બાબતે માથાકૂટ થઈ હતી. જે બાદ તખતસિંહ ભાટી દ્વારા કાર વડે અકસ્માત સર્જી હોટલ માલિક હરિસિંહ ભાટ્ટી ની હત્યા નીપજાવી હતી. સમગ્ર મામલે રાજસ્થાનમાં તખતસિંહ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી અને જેલવાસ બાદ તખતસિંહ ભાટી જામીન પર છૂટ્યો હતો. હોટલ માલિક હરિસિંહ ભાટી ના પુત્ર તેની હત્યા કરી નાખશે તે ડરથી તખતસિંહ ભાટી છેલ્લા થોડા સમયથી અમદાવાદમાં પરિવાર સાથે રહેતો હતો અને સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. 


જોકે તખતસિંહ ભાટી જેલમાંથી છૂટ્યો હોવાની જાણ હોટલ મૃતક માલિક હરિ સિંહ ભાટી ના પુત્ર ગોપાલસિંહ ભાટીને થતા તેની તપાસ શરૂ કરી હતી અને છેલ્લા ત્રણ માસ માં રાજસ્થાન થી અમદાવાદ સમયાંતરે આવી રેકી કરી હતી. રેકી કર્યા બાદ ગોપાલસિંહ ભાટીએ તખતસિંહ ભાટી ની હત્યા કરવાનું નક્કી કર્યું હતું. જે બાદ ગોપાલસિંહ ભાટીએ ત્રણ દિવસ પહેલા બોલેરો કાર થરાદ નજીકથી વેચાતી લીધી હતી અને અમદાવાદ આવ્યો હતો રેકી કરી ને પૂરઝડપે બોલેરો કાર ચલાવી સાયકલ માં જઈ રહેલા તખતસિંહ ભાટી સાથે અકસ્માત સર્જી તેની હત્યા નિપજાવી હતી.


કેમ વનવાસમાં પાંડવોને નહોંતું ખૂટતુ ભોજન? જાણો યુધિષ્ઠિર પાસે એવું કયું પાત્ર હતું?


પોલીસ દ્વારા આરોપી ગોપાલસિંહ ભાટી ની પૂછપરછ અને વધુ તપાસ કરતાં સામે આવ્યું કે વર્ષ 2002માં જ્યારે ગોપાલસિંહ ભાટીના પિતા એટલે કે હોટલ માલિક હરિ સિંહ ભાટી ની હત્યા તખતસિંહ દ્વારા કરવામાં આવી હતી તે પણ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જી હત્યા કરાઈ હતી, ત્યારે તેનો બદલો લેવા ગોપાલસિંહ ભાટીએ પણ એજ મૉડોપરેન્ડી થી પૂરઝડપે જ કાર ચલાવી અને સાયકલમાં જઈ રહેલા તખતસિંહની હત્યા કરી છે. આરોપી ગોપાલસિંહ ભાટી ફક્ત બદલો લેવા માટે જ રાજસ્થાનના પોકરણથી અમદાવાદ રેકી કરવા આવતો હતો અને આખરે તેણે ચાર દિવસ પહેલા અકસ્માત સર્જી હત્યા નીપજાવી હતી. આરોપી ગોપાલસિંહ ભાટી રાજસ્થાનમાં ટાયરની દુકાન ધરાવે છે. મૃતક તખતસિંહ ને હત્યા બદલ જે સજા મળી તેનાથી ગોપાલસિંહ ભાટી ને અસંતોષ હોવાથી તેણે તખતસિંહ ભાટી ની હત્યા કરવાનું નક્કી કર્યું હતું અને પિતાની હત્યાનો બદલો હત્યા કરીને જ લેવાનું નક્કી કર્યું હતું, જેને કારણે જ તે રાજસ્થાન થી અમદાવાદ આવી સમગ્ર હત્યા ની ઘટનાને અંજામ આપ્યો હતો. 


ઓહ બાપ રે! આ વર્ષે જ સોનું આ સ્તરે પહોંચશે, રોકાણકારોને થઈ જશે ચાંદી જ ચાંદી


હાલ તો ટ્રાફિક પોલીસે અકસ્માત ના કેસમાં હત્યાની કલમ ઉમેરી સમગ્ર કેસ બોડકદેવ પોલીસને સોંપવામાં આવ્યો છે. બોડકદેવ પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી ગોપાલસિંહ ભાટી સાથે અન્ય કોઈ વ્યક્તિએ હત્યામાં મદદ કરી છે ત્યારે 22 વર્ષ બાદ પિતાની હત્યાનો બદલો લેવા માટે આ આખી ઘટના બની હોવાનું સામે આવતા અનેક લોકોના મોઢે ચર્ચા નો વિષય બન્યો છે.