નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના સિંહોરમાં 500 થી વધુ લોકોને એકસાથે ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી. ભાવનગરના ફેમસ મુનિ પેંડાવાળાની છાશ પીવાથી એકસાથે 500 લોકોની તબિયત લથડી હતી. ત્યારે રવિવારથી સોમવાર દરમિયાન સિંહોરની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ ગઈ હતી. તેમજ આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે સિહોરમાં ત્રણ અલગ અલગ પ્રસંગો હતા. લીલીપીર સહિતના વિસ્તારમાં લગ્નપ્રસંગમાં જમણવાર બાદ છાશ રાખવામાં આવી હતી. જેને પીધા બાદ લોકોની તબિયત બગડી હતી. પ્રસંગ બાદ લોકોને ઝાડા ઉલટી થવા લાગ્યા હતા. ત્યારે સારવાર માટે તમામને સિહોરના દવાખાનામાં લઈ જવાયા હતા. હોસ્પિટલમાં લોકોની ભીડ જામતા પોલીસ દોડી આવી હતી. રાત પડતા પડતા તો સિહોરની તમામ હોસ્પિટલો ભરાઇ ગઇ હતી. આ કારણે પોલીસ તથા આરોગ્ય વિભાગ બંને દોડતા થયા હતા. ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોમાં વધારે જોવા મળી હતી. 


આ પણ વાંચો : અઠવાડિયા બાદ નરેશ પટેલ પત્તા ખોલશે, જો ભાજપમાં નહિ જાય તો આ રહ્યાં 3 વિકલ્પ


એક તરફ, ફૂડ પોઈઝન થતા આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જામી હતી. પરંતુ બીજી તરફ, આરોગ્ય કેન્દ્રમાં કોઈ કર્મચારી જ ન હતા. આરોગ્ય કર્મચારીની લાંબા સમયથી જગ્યા ખાલી પડી છે. જેથી લોકોને સારવાર લેવામાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 



ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ મુનિ પેંડાવાળાની છાશ વિવાદમાં આવી છે. આ પહેલા તેની છાશ પીવાથી 50 થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ થયાની ઘટના બની હતી. ત્યારે સવાલ એ છે કે શું તંત્ર દ્વારા આ મામલે કોઈ પગલા લેવાશે. 


આ પણ વાંચો : 


બહેનના લગ્નની ખુશી ઘડીક પણ ન ટકી, ડીજેમાં નાચતા નાચતા પિતરાઈ ભાઈનું મોત થયું 


બાવળિયાની હકાલપટ્ટી બાદ કોળી સમાજમાં ફાંટા પડ્યા, બે જૂથ સામસામે આવ્યા


અઠવાડિયા બાદ નરેશ પટેલ પત્તા ખોલશે, જો ભાજપમાં નહિ જાય તો આ રહ્યાં 3 વિકલ્પ