ઝી બ્યુરો/વડોદરા: વડોદરાથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે. જેમાં વડોદરાના કરજણમાં આઈસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો છે, જેમાં પૂરપાટ ઝડપે દોડી રહેલ વાહનોની ટક્કરથી 3 લોકોના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગળની તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ચોમાસાની હજી કેટલી રાહ જોવી પડશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કરજણમાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ છે, જેમાં કારનું પડીકું વળી ગયું છે. આ ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના મોતના અહેવાલ છે. કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને ટક્કર મારી હતી. જેમાં કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા હતા, જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. 


હવે સુખનો સૂરજ ઉગશે: જલદી સસ્તું થશે પેટ્રોલ અને ડીઝલ, જાણો કેટલા ઘટશે ભાવ?


કરજણમાં થયેલા આઈસર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોની ઓળખમાં ઉકમ ભારતી, સુરેશ ભારતી તરીકે થઇ હતી.


શું કોવિડ રસીના કારણે શેન વોર્નનું મોત થયું? ડોક્ટરના નિવેદને બધાને ચોંકાવ્યા