જાવેદ સૈયદ/ગાંધીનગર :ગાંધીનગરનો અતિચર્ચાસ્પદ એવો સીરિયલ કિલરનો કેસ હજી પણ વણઉકેલાયેલો છે. હજી પણ પોલીસ આરોપીની પકડથી દૂર છે. ત્યારે હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. ત્રણ હત્યાના સિરિયલ કિલરને ઝડપી પાડવામાં એસઆઈટી નિષ્ફળ જતા હવે આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપાઈ છે. રાજ્ય સરકારે સીઆઇડી ક્રાઇમને સોંપી તપાસ છે. 


આરોપીને ઢોર માર મારવા બદલ સુરતમાં PI સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાંધીનગરના અડાલજ અને કલોલ વિસ્તારમાં હત્યાઓ કરનાર સિરિયલ કિલર કેસની તપાસ DGPએ CID ક્રાઈમને સોંપી છે. કિલરને પકડાવા મયૂર ચાવડાનાં વડપણ હેઠળ બનાવાયેલી SITની ટીમ સિરિયલ કિલરને પકડવામાં નિષ્ફળ નીવડી છે. તેથી DGPએ તેમની પાસેથી તપાસ છીનવી લીધી છે અને CID ક્રાઈમને સોંપી છે. જેથી હવે CIDના વડા આશિષ ભાટિયા, એડિજીપી અજય તોમર , એસપી વીરેન્દ્રસિંહ યાદવ, રાજેશ ગઢિયા અને પીઆઈ જે.ડી પુરોહિત સહિતની ટીમો કેસની તપાસ કરશે.


હવામાન અપડેટ : સુરેન્દ્રનગર સૌથી હોટેસ્ટ જિલ્લો, પણ બોટાદમાં વાતાવરણમાં પલટો