Patan News : સિધ્ધપુરમાં પાણીની પાઇપલાઇનમાંથી માનવ અવશેષો મળી આવ્યા છે. સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારમાં પાણીની ભૂગર્ભ પાઇપ લાઈનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે, કોઈ અજાણી યુવતીના મૃતદેહના આ અવશેષો છે. માનવ અવશેષ પાણીની પાઇપલાઇનમાં ફસાઈ જવાને કારણે પાણીનો પ્રવાહ અટક્યો હતો. જેથી પાલિકાએ ખોદકામ કરી પાઇપલાઇન ચકાસતા માનવ અવશેષ મળી આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, સિદ્ધપુરની ઉપલી શેરી વિસ્તારમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી પીવાનું પાણી આવતુ ન હતું. તેમજ પીવાના પાણીમાં વાસ પણ મારતી હતી. જેથી નગરપાલિકાની ટીમને ફરિયાદ કરાઈ હતી. આ બાદ નગરપાલિકાની ટીમ દ્વારા પાઈપલાઈનમાં શુ સમસ્યા છે તે જાણવા ખોદકામ કર્યુ હતું. જેમાં પાઈપલાઈનમાંથી માનવ અવશેષો મળી આવ્યા હતા. તપાસ કરતા જાણવા મળ્યુ કે આ અવશેષો કોઈ યુવતીના છે. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી, આખરે આ યુવતી કોણ છે તે જાણવા તપાસ શરૂ કરાઈ છે. 


ગુજરાતના ખેડૂતોના અરમાનો પર પાણી ફરી વળ્યું, સરકારે બંધ કરી 26 યોજના


તમામ હદ પાર: કોટુંબિક મામાએ ભાણેજ સાથે દુષ્કર્મ આંચરી ગુપ્તાંગમાં નાંખી મરચાની ભૂકી


જોકે, માનવ શરીરના કેટલાક અવયવો જ મળી આવ્યા છે. યુવતીના શરીરના અન્ય અવયવો હજુ પણ મળ્યા નથી. ઘટનાને પગલે સિદ્ધપુર પોલીસ અને નગરપાલિકાની ટીમો પહોંચી ઉપલી શેરી વિસ્તારમાં પહોચી હતી. આ ઘટના બાદ ઉપલીશેરી વિસ્તારના રહીશોનો ઘટના સ્થળે ભારે જમાવડો થયો હતો. 


ઉપલી શેરી વિસ્તારમાં દુર્ગંધથી રહીશો ત્રસ્ત થયા હતા. સિધ્ધપુર પોલીસની ટીમે ઘટના સ્થળે માનવ અવશેષ કોના છે તેની તપાસ શરૂ કરી છે. 


1 કિલો સોનાનો હાર 1 લાખમાં વેચવાનો છે, કહી ગઠિયાઓ દુકાનદારને અજીબોગરીબ રીતે છેતર્યો!