અલ્કેશ રાવ/બનાસકાંઠા : જિલ્લાના ધાનેરાના શેરા ગામની સીમમાંથી મળેલાં યુવકના મૃતદેહને પગલે પરિવાર દ્વારા હત્યાના આક્ષેપ સાથે પોલીસ તપાસની માંગ કરાતાં પોલીસની એલસીબી સહિતની વિવિધ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. યુવકની હત્યા તેની પત્નીના પ્રેમીએ જ કરી હોવાનું સામે આવતા પોલીસ પત્નીના પ્રેમીને ઝડપી પાડવા રાજસ્થાનના બાડમેર પહોંચી અને ગણતરીના કલાકોમાં જ હત્યારા પ્રેમીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચોરી કરવા માટે ઓરિસ્સાથી સ્પેશ્યલ પ્લેન દ્વારા સુરત આવતા હાઇફાઇ ચોરની ધરપકડ, ઉદ્યોગપતિને ટક્કર મારે તેવા કારનામા


પતિ-પત્નીનો સબંધ પવિત્ર ગણાય છે. પરંતુ જ્યારે પતિ-પત્નીના સબંધ વચ્ચે 'વો'આવે ત્યારે સંબધો અભિશાપ બનતા હોય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે.  બનાસકાંઠાના ધાનેરા તાલુકાના શેરા ગામની સિમમાંથી બે દિવસ પહેલા બિનવરસી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે પોલીસે તપાસ કરતા મૃતદેહ કોટડા ગામના વતની અણદાભાઈ પટેલનો હોવાનું સામે આવતા જ પંથકમાં ચકચાર મચી હતી. મૃતકના ગળા અને શરીરના અન્ય ભાગો પર  ઇજાઓના નિશાન દેખાતા પરિવારે  યુવકની હત્યા થઇ હોવાના આક્ષેપો સાથે પોલીસ તપાસની માંગ કરી હતી. 


Land Grabbing Act: 3 મહિના પહેલા 9 સામે ગુનો નોંધાયો, પોલીસના હાથે માત્ર એક આરોપી આવ્યો


પોલીસે ઘટનાને પગલે પરિવાર દ્વારા થયેલા આક્ષેપો બાદ તપાસ હાથ ધરતા મૃતક અણદાભાઈની પત્નીને બાડમેરના રોશનખાન સિંધી (મુસલમાન) સાથે આડા સબંધ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે તે  દિશામાં તપાસ કરતા મૃતકની પત્નીનો પ્રેમી રોશનખાન ધાનેરા તાલુકામાં પશુઓ માટે તબેલો બનવવાના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે રોશનખાનને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી બાડમેરથી રોશનખાનને ઝડપી પાડી તેની સઘન પુછપરછ કરતા પ્રેમિકાને મળવામાં પતિ કાંટો બનતો હોવાથી આયોજન મુજબ મૃતક અણદાભાઈને રોશનખાને બાઇક પર બેસાડી શેરા ગામની સિમમાં લઈ જઈ ચપ્પુના ઘા ઝીકી  હત્યા કરી ફરાર થઈ ગયો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હત્યારા પ્રેમી રોશનખાનને ઝડપી પાડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube