રાજકોટઃ સૌરાષ્ટ્ર અને ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીની આવકથી ઉભરાતું હોય છે. ત્યારે આગામી દિવસોમાં આવતા દિવાળીના તહેવારોને લઈને ગોંડલ માર્કેટયાર્ડ અલગ અલગ રજાના દિવસે માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. ગોંડલ માર્કેટયાર્ડના સત્તાધીશો તેમજ કમિશન એજન્ટ એસોસિએશન તરફથી નક્કી કરવામાં આવેલ કે આગામી દિવાળી દરમિયાન આવતા વાર તહેવાર, અને જાહેર રજાઓ કારણે જણસીની આવક હરરાજી અને યાર્ડનું કામ કાજ બંધ રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યાર્ડમાં આવતા ખેડૂતો વેપારીઓ, જનરલ કમિશન એજન્ટો, તોલાટ, મજૂરો, વાહનમાલિકો સહિતનાએ રજાના દિવસે કામ કાજ બંધ રાખવામાં આવશે.તાજેતરમાં જ સમગ્ર રાજ્યની માર્કેટીંગ યાર્ડની આવકમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડનો પ્રથમ નંબર આવવા પામ્યો છે. ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળી, ધાણા, મરચા, ડુંગળી, લસણ સહિતની 55થી પણ વધુ જણસીઓ લઈને આ માર્કેટયાર્ડ માં વેચવા આવી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારને લઈને શુક્રવાર ને ધનતેરસના દિવસે છેલ્લી જણસીની આવક અને હરાજી થયા બાદ શનિવારને કાળી ચૌદશથી તમામ જણસીની આવક યાર્ડના સત્તાધીશો દ્વારા બીજી કોઈ જાહેરાતના થાય ત્યાં સુધી બંધ રહેશે.


આ પણ વાંચોઃ વાઈબ્રન્ટ ગુજરાત ડેલિગેશને યુરોપના દેશોની મુલાકાત લીધી, ₹2024 કરોડથી વધુના MOU કર્યા


લાભપાંચમના દિવસે તમામ જણસીનું મુહૂર્ત કરવામાં આવશે
માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ જણાવ્યું હતું કે આગામી દિવાળીના તહેવારો આવતા હોય જેને પગલે સાત દિવસ એટલે કે તારીખ 11 નવેમ્બરથી 17 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. માર્કેટિંગ યાર્ડમાં તમામ જણસીની આવક સદંતર બંધ રાખવામાં આવશે અને તારીખ 18 નવેમ્બરને લાભ પાંચમના દિવસે સારા મુહૂર્તમાં રાબેતા મુજબ તમામ જણસીઓની આવક તેમજ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.


દિવાળીના તહેવાર દરમિયાન આ દિવસે ગોંડલ માર્કેટયાર્ડમાં હરરાજી અને યાર્ડ બંધ રહેશે.
તા.11/11/2023 શનિવારને કાળી ચૌદશ સવારથી તમામ જણસીની આવક બંધ રહેશે.
તા. 12/11/2023 - રવિવાર દિવાળી હરરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 13/11/2023 - સોમવાર ( ધોકો )ના દિવસે હરરાજી અને જણસીની આવક અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 14/11/2023 - મંગળવાર બેસતું વર્ષના દિવસે જણસીની આવક, હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 15/11/2023 - બુધવાર ભાઈબીજના દિવસે જણસીની આવક, હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 16/11/2023 - ગુરુવાર સુદ - ત્રીજના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.
તા. 17/11/2023 - શુક્રવાર સુદ - ચોથના દિવસે હરરાજી અને યાર્ડનું કામકાજ બંધ રહેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube