ચેતન પટેલ/સુરત: ગુજરાતના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારે પશુપાલકો માટે દિવાળી ભેટ સમાન રાહત આપી દીધી છે. પશુપાલકોના ગાય ભેંસના આહાર માટે વપરાતા પશુ સમતોલદાણમાં વપરાતા મોલાસીસ ઉપર GST 28 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત
ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર  ઉત્પાદન કરે છે. જ્યારે મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ત્યારે ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો કરાવ્યો છે. આ નિર્ણય સાથે જ પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થશે. 


પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ
કેન્દ્ર સરકારે ગુજરાતના પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. પશુ સમતોલ દાણમાં વપરાતા મોલાસીસ પર GST ઘટાડ્યો છે. પશુપાલકોને પણ કેન્દ્ર સરકારે જીએસટી ઘટાડીને દિવાળી ભેટ આપી હોય તેવું લાગી રહ્યું છે. પશુઓને અપાતા દાણમાં વપરાતા મોલાસીસ પરના 28 ટકા જેટલા જીએસટીને ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. જેથી પશુપાલકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.


દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો
ગુજરાતની સહકારી સંઘો વાર્ષિક 29 લાખ ટન પશુ આહાર ઉત્પાદન કરે છે. મોલાસીસનો 3 લાખ ટનનો વપરાશ થાય છે. ભારત સરકારે મોલાસીસ પરથી GST ઘટાડતા દૂધ સંઘોને પ્રતિ તને 400 રૂપિયાનો ફાયદો થયો છે. પશુપાલકોને વર્ષે 100 કરોડની રાહત થવાની છે. જેથી પશુપાલકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.