હિતલ પારેખ/ગાંધીનગર :ગઈકાલે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પહેલા તેઓ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના સંપર્કમા આવ્યા હતા. ત્યારે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Gujarat CM) નું હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સવારે ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા તેમનું તબીબી પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે મુજબ મુખ્યમંત્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે. પરંતુ તકેદારીના ભાગરૂપે તેઓ હોમ ક્વોરેન્ટાઈનમાં રહેશે. 


કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં