ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતનો ઈતિહાસ રહ્યો છે કે ક્યારે ત્રીજો પક્ષ ફાવ્યો નથી. પરંતુ આ ઈતિહાસને બદલવા માટે આમ આદમી પાર્ટી મથામણ કરી રહી છે. ત્યારે ત્રિપાંખિયા જંગથી આ વખતે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીના સમકરણો રસપ્રદ બની રહ્યા છે. ત્યારે જામનગરની કાલાવડ બેઠક પર કોનો દબદબો રહેશે તે મહત્વનું બન્યું છે. ત્યારે આવો જોઈએ કાલાવડ બેઠકના શું કહે છે સમીકરણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

35 વર્ષે ભાજપનો ગઢ છીનવ્યો કોંગ્રેસે-
કાલાવડ બેઠક અનુસૂચિત જાતિના સભ્ય માટે અનામત છે. કાલાવડ વિધાનસભા બેઠક પર 1985થી 2012 સુધી ભાજપનું શાસન હતું. 1985થી કાલાવડ વિધાનસભા બેઠક પર 7 વખત એટલે કે 35 વર્ષથી ભાજપનું વર્ચસ્વ રહ્યું છે. જો કે વર્ષ 2017ના પરિણામથી ભાજપના ગઢમાં કોંગ્રેસે બાજી મારી હતી. કાલાવડ વિધાનસભા બેઠક પર સતત 7 વખત ચૂંટાયા બાદ કોંગ્રેસ સામે ભાજપે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો.


2017માં કેવી હતી સ્થિતિ-
SC અનામત કાલાવાડ વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 33 હજાર 413 મતદારો છે. જેમાંથી  1 લાખ 20 હજાર 340 પુરુષ અને 1 લાખ 13 હજાર 071 મહિલા મતદારો છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મુલજી ખૈયાડા અહીંથી લડ્યા હતા. જેમની સામે કોંગ્રેસના કોંગ્રેસના ઉમેદવાર પ્રવીણ મુસડીયાનો વિજય થયો હતો.જેમાં પ્રવીણ મુસડીયાને 59.48 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવારને 34.36 ટકા મત મળ્યા હતા. 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube