Narmada Dam : નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસના ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. સરદાર સરોવર નિગમે આપેલી પ્રતિક્રિયા સામે પ્રતિક્રિયા આપી છે. જયનારાયણ વ્યાસે કહ્યું કે, વાદળ ફાટ્યું એ વાત તદન જુઠ્ઠાણું છે. અહીંયા વાદળ ફાટવું શક્ય ન જ નથી. આ ફક્ત અવ્યવસ્થાપનના કારણે થયેલી બેદરકારી છે. પાણી આવે તો એડવાન્સમાં ખબર પડી જ જાય. નર્મદા ડેમ પહેલા કેટલાય ડૅમ આવે છે. જેમાંથી પાણી આવે તો આગોતરી જાણ કરાય જ. તેથી પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી મશ્કરી સમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ભરૂચ, અંકલેશ્વરમાં પૂર આવ્યુ હતું. લોકોએ ચાર દિવસ પૂરના પાણીમાં વિતાવ્યા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. ત્યારે પૂર્ણ જળ સંશાધન મંત્રી અને હાલ કોંગ્રેસ નેતા જયનારાયણ વ્યાસે પત્રકાર પરિષદ કરીને આ સામે સવાલો ઉઠાવ્યા છે. સરદાર સરોવર નિગમ દ્વારા આપાયેલા નિવેદન મામલે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ક્લાઉડ બર્સ્ટ એ નર્યું જુઠ્ઠાણું છે, અહીંયા એ શક્ય ન જ નથી. આ ફક્ત મિસમેનેજમેન્ટના કારણે થયેલી બેદરકારી છે. પાણી આવે તો એડવાન્સમાં ખબર પડી જ જાય. નર્મદા ડેમ પહેલા કેટલાય ડૅમ આવે છે, જેમાંથી પાણી આવે તો આગોતરી જાણ કરાય જ. પૂર આવવા માટે વાદળ ફાટવાની ઘટના કહેવી એ રાજ્યના લોકોની મશ્કરી સમાન છે.


અંબાલાલ પટેલે આગાહી કરીને ચોખ્ખે-ચોખ્ખું કહી દીધું, આ વર્ષે નવરાત્રિ બગાડશે વરસાદ


અમદાવાદીઓ પિત્ઝા ખાતા પહેલા ચેતી જજો, La Pinozના પિત્ઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા