ગાંધીનગર: રાજ્યમાં ગઈકાલે (મંગળવાર) કરતા આજે કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. આજે નવા 09 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 37 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,12,829 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવી રેટ પણ સુધરીને 99.10 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 83,154 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 122 એક્ટિવ કેસ છે. જે પૈકી 01 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 121 નાગરિકો સ્ટેબલ છે. તો બીજી તરફ 12,12,829 નાગરિકો ડિસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 10942 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


ઘોર કળિયુગ! સગીરાએ દાદીને કહ્યું- પિતા મારા શરીરનાં અલગ અલગ અંગો પર હાથ ફેરવે છે, પછી.... ડામ આપે છે....'


નવા આવેલા કેસમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 4, વડોદરા કોર્પોરેશનમાં 2, આણંદ 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1 એમ કુલ 9 કેસ નોંધાયા છે.


ગુજરાત કોંગ્રેસે પૂર્વ PAASના નેતાઓની કરી હકાલપટ્ટી; વાયરલ થઈ હતી બન્નેની Audio ક્લીપ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 18 વર્ષથી વધારેની ઉંમરના 2414 ને રસીનો પ્રથમ જ્યારે 19807 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1168 ને પ્રથમ અને 7049 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15046 ને પ્રીકોર્શન ડોઝ જ્યારે 12-14 વર્ષના તરૂણો પૈકી 37670 ને પ્રથમ ડોઝ અપાય હતો. આ પ્રકારે કુલ 83,154 રસીના ડોઝ આજના દિવસમાં જ્યારે અત્યાર સુધીમાં કુલ 10,60,91,036 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube