અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1096 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 72, 577 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1116.56 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 18,91,775 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1096 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1011 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 71,261 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.12% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતમાં પુત્રવધુને ભગાડી ગયા સસરા? ચોંકાવનારો ખુલાસો વાંચી તમારી આંખોમાં આવશે આંસુ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,76,291 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,75,669 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 629 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.


ચોમાસાની સ્થિતીએ અમદાવાદ કલેક્ટર કચેરી સ્થિત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સજજ


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 14751 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 14672 લોકો સ્ટેબલ છે. 71261 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2930 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 20 લોકોનાં મોત નિપજ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન 3, સુરત 4, અમરેલી 2, જુનાગઢ 2, ગીર સોમનાથ 1, તાપી 1, ભાવનગર 1, રાજકોટ 1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 મોતનો સમાવેશ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર