ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 111 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 57 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,14,586 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 99.04 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 28,679 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 832 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 832 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,14,586 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,945 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 57, વડોદરા કોર્પોરેશન 20, ઘાંધીનગર કોર્પોરેશનમાં 6, ગાંધીનગર 5, સુરત કોર્પોરેશનમાં 4, ભાવનગર કોર્પોરેશન, રાજકોટ અને સુરતમાં 2-2 કેસ તથા અમદાવાદ, આણંદ, જામનગર કોર્પોરેશન, કચ્છ, મોરબી, નવસારી, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાઇ ચુક્યાં છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 737 નાગરિકોને રસીનો પ્રથમ અને 6435 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 102 ને રસીનો પ્રથમ અને 948 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 17292 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 377 ને રસીનો પ્રથમ અને 2788 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 28,679 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,05,46,909 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube