હિતલ પારેખ/ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો 1400 ને પાર પહોંચ્યો હતો. જો કે હવે ધીરે ધીરે કોરોના કાબુમાં આવી રહ્યો હોય તે પ્રકારે આંકડા ઘટી રહ્યા હતા અને એક સમયે કેસ 1000ની નીચે જતા રહ્યા હતા. જો કે દિવાળી સમયે અચાનક કેસોની સંખ્યામાં ઉછાળો જોવા મળ્યો હતો. જો કે રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. આજે રાજ્યમાં નવા 1110 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 1236 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 2,12,839 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોળકા-બગોદરા હાઇવે પર રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં ઘટના સ્થળે મોત


રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 92.57 ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 844.35 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


Corona માં માતા કુમાતા થઇ, પુત્રની આત્મહત્યા છુપાવી બારોબાર કર્યા અંતિમ સંસ્કાર, આ રીતે ફૂટ્યો ભાંડો


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,35,922 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,35,789 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 133 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,881 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 61 છે. જ્યારે 12,820 લોકો સ્ટેબલ છે. 2,12,820 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 4193 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 11 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 08, સુરત કોર્પોરેશન 02, અને મહેસાણાના 1 દર્દી સહિત કુલ 11  દર્દીઓનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube