અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1272 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1095 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1069.05 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 22,65,473 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1272 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1095 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 76,757 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.69% ટકા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શેત્રુંજી ડેમ ત્રીજી વખત ઓવરફ્લો: કિનારાના ગામડા એલર્ટ પર, નદી બે કાંઠે વહી રહી છે


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 4,99,903 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,99,432 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 471 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


દ્વારકામાં જળબંબાકાર, અનેક રોડ રસ્તાઓ બંધ, સામાન્ય નાગરિકથી માંડી ખેડૂત પરેશાન


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15390 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 84 છે. જ્યારે 15306 લોકો સ્ટેબલ છે. 76757 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3008 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 17 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશન 3, ભાવનગર 2, સુરત 2, અમરેલી 1, બનાસકાંઠા 1, જામનગર 1, સાંબરકાંઠા 1, વડોદરા 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 17 લોકોનાં મોત નિપજ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર