અમદાવાદ: રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1280 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1025 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 66,363 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1020.96 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 23,31,836 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1280 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1025 દર્દીઓ સાજા થઇને ઘરે ગયેલા છે. અત્યાર સુધીમાં 77,782 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 80.66% ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- CM રૂપાણી સહિતના ગુજરાતના નેતાઓએ પ્રણવ મુખર્જીને પાઠવી શ્રદ્ધાંજલિ


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,02,388 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,01,907 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 481 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે. 


આ પણ વાંચો:- રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ કોરોના પોઝિટિવ, પુત્ર અને પુત્રીને કરાયા હોમ ક્વોરન્ટાઇન


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 15631 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 79 છે. જ્યારે 15552 લોકો સ્ટેબલ છે. 77782 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3022 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 14 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 3, ભાવનગર કોર્પોરેશન 2, રાજકોટ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશન 1, રાજકોટ કોર્પોરેશન 1 અને વડોદરા કોર્પોરેશન 1 સહિત કુલ 14 લોકોનાં મોત નિપજ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર