અમદાવાદ : રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1326 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1205 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 94,010 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ 1058.89 પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32,99,811 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના વિવિધ જિલ્લાઓના 1326 કેસ નોંધાયેલા છે. આજ રોજ 1205 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે. અત્યાર સુધીમાં કુલ 94,010 દર્દીઓ સાજા થયા છે. રાજ્યનો દર્દીઓ સાજા થવાનો દર 82.71% ટકા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2 લગ્ન, 9 વિદ્યાર્થીનીઓનું શોષણ 5 લાખનું ઇનામ, ફિલ્મોને ટક્કર મારે તેવી છે શિક્ષકની સ્ટોરી


રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 7,42,968 વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 7,42,460 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે 508 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ખુબ જ સારો થઇ રહ્યો છે.


ભયંકર ભાદરવો: સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની વરસાદથી ખેડૂતોની કફોડી સ્થિતી


જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 16439 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 87 છે. જ્યારે 16352 લોકો સ્ટેબલ છે. 94010 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 3213 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 15 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત 4, સુરત કોર્પોરેશન 2, ભરૂચ 1, ભાવનગર 1, રાજકોટ કોર્પોરેશન 1, વડોદરા1 અને વડોદરા કોર્પોરેશનનાં 1 દર્દીનો સમાવેશ થાય છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 15 લોકોનાં મોત નિપજ્યાં છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube