ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની સ્થિતિ હાલ ડામાડોળ છે. હાલમાં જે કેસ આવી રહ્યા છે તેના પ્રમાણમાં અત્યારે બમણા કેસ આવે છે તો બીજા દિવસે બમણા કેસ ઘટી રહ્યા છે. તો બીજી તરફ કોરોનાથી 17 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,522 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં 3,72,334 ડોઝ રસીના અપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GUJARAT માં મચ્છરજન્ય રોગચાળો બેકાબુ, 37 હજારથી વધારે તાવના કેસ મળી આવ્યા


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 133 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 129 નાગરિકો સ્ટેબલ છે. 8,15,522 અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જ્યારે 10082 કોરોના સામે જીવનનો જંગ હારી ચુક્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ અધિકારીક મોત થયું નથી. નવા આવેલા કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 05, સુરત કોર્પોરેશનમાં 03, વડોદરા કોર્પોરેશનમાં 03 પોરબંદર, સુરત અને વડોદરામાં 1-1 કેસ આવ્યા છે. 


દેશના છેવાડાના દરેક નાગરિકને મળશે VIP સારવાર, અનોખા ડિજિટલ ડોક્ટર પ્રોજેક્ટની શરૂઆત


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. આજના દિવસમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 23ને પ્રથમ જ્યારે 3757 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 45757 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 56249 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 1,21,827 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 1,44,721 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 3,72,334 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 5,70,59,784 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube