ગાંધીનગર : ગુજરાતમાં કોરોના તબક્કાવાર રીતે કાબુમાં આવી રહ્યો છે. આજે રાજ્યમાં નવા 14 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 25 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર પણ વધીને 98.76 ટકાએ પહોંચ્યો છે. આ ઉપરાંત 4,63,036 ડોઝ વેક્સિનના પણ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં અત્યાર સુધીમાં 8,15,091 નાગરિકો કોરોનાને મ્હાત આપીને ઘરે પણ જઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વનાં કોઇ પણ ખુણેથી ગુજરાતમાં આવતા હિન્દુઓનો વાળ પણ વાંકો નહી થાય: પ્રદીપસિંહ


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 160 કેસ એક્ટિવ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે. 155 નાગરિકો સ્ટેબલ છે. 8,15,091 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું છે. 28 જિલ્લામાં એક પણ કેસ નોંધાયો નથી. 6 જિલ્લામાં કેસ નોંધાયા છે. અમદાવાદ કોર્પોરેશને 5, સુરતમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, ભાવનગરમાં 1 અને કચ્છ તથા સુરત કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓ અને કોર્પોરેશનમાં આજે એક પણ કેસ નોંધાયો નથી. 


ગુજરાત સરકારની ઉત્તમ નીતિના કારણે આદિવાસીઓનો સ્થિર વિકાસ થયો છે: ગણપત વસાવા


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને પ્રથમ ડોઝ અને 5085 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 78957 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ જ્યારે 67802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 2,42,081 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 69096 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યા છે. આ પ્રકારે 4,63,036 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,36,31,533 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube