ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 15 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 26 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,776 દર્દી કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 5,17,507 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. ઼


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD માં JCB અકસ્માત મામલે ચાલક અને ટોળાએ સામસામે ફરિયાદ નોંધાવી


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 188 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિક વેન્ટિલેટર પર છે. અન્ય તમામ 185 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,776 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 9, અમદાવાદ કોર્પોરેશન 5 અને વલસાડમાં 1 કેસ નોંધાયો છે. 


AHMEDABAD માં મોહમ્મદ મનસુરીએ ડ્રગ્સનું વિશાળ નેટવર્ક ઉભુ કર્યું, યુવતીઓને કરતો ટાર્ગેટ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 5560 નાગરિકોને રસીનો પ્રથમ અને 148663 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 1874 ને રસીનો પ્રથમ અને 37955 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 208636 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 7247 ને રસીનો પ્રથમ અને 107572 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,17,507 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,92,70,336 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube