ઝી ન્યૂઝ/બ્યૂરો: તહેવારો ટાણે ગુજરાતમાં વધી રહેલા કોરોના કેસમાં આજે ફરી ઘટાડો નોંધાયો છે. આજે ભાઈ બીજના દિવસે કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 12 દર્દીઓ રિકવર થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,16,399 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા હતા. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ વધીને 98.75 ટકાએ પહોંચ્યું છે. તો બીજી તરફ તહેવારો છતા પણ 22010 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ ગુજરાતમાં કુલ 227 એક્ટિવ કેસ છે. જે પૈકી 03 નાગરિકો વેન્ટીલેટર પર છે. 224 નાગરિકો સ્ટેબલ છે. 8,16,399 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10090 નાગરિકોનાં મોત થયા છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


આજના કોરોના આંકડાઓની વાત કરીએ તો સૌથી વધુ વડોદરા કોર્પોરેશનમાં 5 કેસ નોંધાયા છે, જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 3, જામનગર કોર્પોરેશન અને જૂનાગઢમાં 2-2, આણંદ, કચ્છ, સુરત કોર્પોરેશન, વલસાડમાં 1-1-1-1 કેસા નોંધાયો છે.


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 29 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 639 નાગરિકોને રસીનો પ્રથમ, 4371 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2611 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 14362 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે કુલ 22,010 રસીના ડોઝ અપાયા હતા. 71566986 કુલ નાગરિકોનું રસીકરણ થયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube