ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના નવા 162 કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 33 દર્દીઓ રિકવર પણ થયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,10,211 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાથી સાજા થવાનો દર પણ સુધરીને 98.97 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે રસીના કુલ 31,552 ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખ્યાતનામ સાહિત્યકારો અને લેખકો આ મંદિરના દર્શને આવે છે, સરસ્વતી ચંદ્ર આ મંદિરમાં બેસીને જ લખાઇ હતી


એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 1647 એક્ટિવ કેસ છે. જે પૈકી 16 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 1631 નાગરિકો સ્ટેબલ છે. 12,10,211 નાગરિકો સ્ટેબલ થઇ ચુક્યાં છે. 10932 નાગરિકોનાં અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 2 મોત નિપજ્યાં છે. જેમાં એક મોત વડોદરા કોર્પોરેશન જ્યારે એક મોત વડોદરામાં થયું છે. 


આ મહાદેવના દર્શન માત્રથી ખોડખાપણ વાળા બાળકો થાય છે દોડતા, કેન્સર જેવા અસાદ્ય રોગ થાય છે સાજા


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 9 ને પ્રથમ અને 18 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 536 ને પ્રથમ જ્યારે 1997 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 3636 ને રસીનો પ્રથમ જ્યારે 11096 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 274 ને પ્રથમ જ્યારે 9336 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 4650 ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 31552 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,30,15,365 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube