અમદાવાદ : રાજ્યમાં કોરોના તબક્કાવાર કાબુમાં આવી રહ્યા છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે. આ ઉપરાંત 14 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,008 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ ઉપરાંત સાંજે 4 વાગ્યા સુધીમાં 2,75,726 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કોરોનાથી સાજા થવાનો દર 98.76 ટકાએ પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JUNAGADH પહોંચી જનઆશીર્વાદ યાત્રા, મનસુખ માંડવીયાએ માં અંબાના આશીર્વાદ લીધા


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 186 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 180 નાગરિકો સ્ટેબલ છે. 8,15,008 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 10078 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. જે રાજ્ય માટે રાહતના સમાચાર છે.


અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુજી નદી બની ગાંડીતુર, ખેડૂત અને પાક બંન્નેના જીવમાં જીવ આવ્યો


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 13 કર્મચારીને રસીનો પ્રથમ ડોઝ અને 3074 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 48410 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 41878 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 18-45 વર્ષના 146912 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 35439 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 2,75,726 ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 4,22,69,128 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube