ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના નવા કેસ 10 ના આંકડા સુધી જઇને ફરી એકવાર કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે નવા 19 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધી કોરોનાને કારણે 8,15,331 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેથી કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.76 પર પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે સરકાર મજબુતીથી લડી રહી છે. આજે 5,80,070 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 150 એક્ટિવ કેસ છે. જે પૈકી 06 નાગરિકો વેન્ટીલેટર પર છે. 144 નાગરિકો સ્ટેબલ છે. 8,15,331 નાગરિકો અત્યાર સુધી કોરોનાને હરાવી ચુક્યા છે. તો 10082 નાગરિકો કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3 કેસ, સુરત, સુરત કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 3-3 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત ખેડા 2, કચ્છ 2, રાજકોટ 2, નવસારી 1, સાબરકાંઠા 1, વડોદરા 1, અને વલસાડ 1 નોંધાયા છે. 

Corona કાળમાં માતા-પિતા ગુમાવનારા નિરાધાર બાળકોને બાળ સેવા યોજનાનો અપાયો લાભ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 20 કર્મચારીને રસીનો પ્રથમ અને 7001 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી ઉંમરના 82,650 નાગરિકોને રસીનો પ્રથમ અને 81989 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 239757 નાગરિકોને રસીનો પ્રથમ અને 168653 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 5,80,070 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 5,13,75,419 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube