ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના આજે નવા 217 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 130 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 12,15,453 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ ઘટીને 98.99 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 45,769 રસીના ડોઝ અપાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજયભરમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલા આગામી તા.ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે: શિક્ષણ મંત્રી


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 1461 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 નાગરિકો વેન્ટિલેટર પર છે અને તેમની સ્થિતિ પ્રમાણમાં ચિંતાજનક છે. આ ઉપરાંત 1456 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,15,453 નાગરિકો હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,946 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે આંશિક રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 97, વડોદરા કોર્પોરેશન 30, સુરત કોર્પોરેશન 35, સુરત 10, ગાંધીનગર કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 6, મહેસાણા 4, જામનગર કોર્પોરેશન અને નવસારીમાં 3-3, અમદાવાદ, ભરૂચ, ગાંધીનગર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, વલસાડમાં 2-2 કેસ નોંધાયા છે. અમરેલી, આણંદ,ભાવનગર, ગીરસોમનાથ, ખેડા, મોરબી, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા હતા. 


સાપુતારામાં સ્વર્ગથી પણ સુંદર નજારો સર્જાયો, વાદળો સાથે વાત કરતી પર્વતમાળાના દ્રશ્યો થયા વાયરલ


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1177 નાગરિકોને રસીનો પ્રથમ અને 7104 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 640 ને રસીનો પ્રથમ અને 1744 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 21817 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 4848 ને રસીનો પ્રથમ અને 8439 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 45,769 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 11,09,10,235 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube