ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,920 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 95,785 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેન રશિયાના યુદ્ધને હરાવી હીરા ઉદ્યોગ ફરી વાર ઝળહળી ઉઠશે, આવું છે આયોજન


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 194 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 194 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 12,13,920 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશનમાં 4, ગાંધીનગર કોર્પોરેશન 3 અને રાજકોટ કોર્પોરેશનમાં 1સહિત કુલ 23 નવા કેસ નોંધાયા છે. 


AHMEDABAD માં સ્ટેડિયમની આસપાસ સોસાયટીના લોકોની બલ્લે બલ્લે, ઘરે બેઠા થશે તગડી કમાણી


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 1182 નાગરિકોને રસીનો પ્રથમ અને 42560 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 627 ને રસીનો પ્રથમ અને 4214 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 32690 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 1842 ને રસીનો પ્રથમ અને 12670 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 95,785 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,98,15,679 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube