ગાંધીનગર : ગુજરાતમાં આજે કોરોનાના 24 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 13 દર્દીઓ પણ સાજા થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,370 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ તહેવારો હોવા છતા પણ સરકાર દ્વારા રસીકરણ અવિરત પણે ચાલી રહ્યું છે. આજે પણ કુલ 27,283 નાગરિકોનું રસીકરણ થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 220 એક્ટિવ કેસ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટીલેટર પર છે જ્યારે 216 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,370 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10090 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે આજે એક પણ નાગરિકનું મોત નથી થયું. 


બીજી તરફ રસીકરણની વાત કરીએ તો હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 74 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1015 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 6165 નાગરિકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. 18-45 વર્ષ સુધીના 2820 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 17209 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો .આ પ્રકારે કુલ 27,283 નાગરિકોનું રસીકરણ થયું છે. અત્યાર સુધીમાં કુલ 7,15,40,611 ડોઝ રસી અપાઇ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube