ગાંધીનગર : ગુજરાતમાં કોરોનાના આંકડાઓમાં રોજેરોજ આસમાની સુલતાની જોવા મળે છે. રાજ્યમાં કોરોનાના નવા 24 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 17 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,15,855 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 98.76 પર પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 4,09,494 રસીના ડોઝ એક જ દિવસમાં અપાઇ ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સચિને ગર્લફ્રેંડ સાથે મોજ તો કરી પરંતુ બાળક આવતા ઘરકંકાસ ચાલુ થયો અને પછી...


જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં 182 એક્ટિવ કેસ છે. જ્યારે 05 નાગરિકો વેન્ટિલેટર પર છે. 177 નાગરિકો સ્ટેબલ છે. 8,15,855 નાગરિકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 10086 નાગરિકોનાં મોત થઇ ચુક્યા છે. જો નવા આવેલા કેસની વાત કરીએ તો રાજ્યમાં સુરત કોર્પોરેશનમાં 7, અમદાવાદ કોર્પોરેશનમાં 5, વલસાડમાં 5, ભાવનગર અને નવસારીમાં 2-2, મહેસાણા, સુરત અને વડોદરા કોર્પોરેશનમાં 1-1 કેસ સામે આવ્યા છે.  આ પ્રકારે કુલ 24 કેસ સામે આવ્યા છે. એક વ્યક્તિનું તાપીમાં મોત થઇ ગયું છે. 


EXCLUSIVE: સ્મિતને તેના જ પિતા સચિન દીક્ષિત તરછોડ્યો, કારણ જાણીને ચોંકી ઉઠશો


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12ને રસીનો પ્રથમ જ્યારે 4159 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 30189 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 84394 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 97092 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 193648 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 4,09,494 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 6,41,68,289 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube