ગાંધીનગર : રાજ્યમાં આજે કોરોનાના 26 નવા કેસ નોંધાયા છે. તો બીજી તરફ 33 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,17,032 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.75 ટકાએ પહોંચ્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં સાંજ સુધીમાં કુલ 1,43,050 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લો બોલો : GUJARAT માં અહીં દંડ કરવાનાં બદલે પોલીસ મફતમાં ભરી આપે છે પેટ્રોલ...


જો રાજ્યની કોરોનાની હાલની સ્થિતિ અંગે વાત કરીએ તો રાજ્યમાં કુલ 284 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 04 નાગરિકો વેન્ટિલેટર પર છે. જ્યારે 280 નાગરિકો સ્ટેબલ છે. 8,17,032 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10092 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર છે કે, આજે કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. વડોદરા કોર્પોરેશનમાં 6, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4 ઉપરાંત અમદાવાદ, ભાવનગર, ગીર સોમનાથ, નવસારી, પોરબંદર અને વડોદરામાં 1-1 કેસ નોંધાયા છે. 


જે આફ્રિકન કોરોના વેરિયન્ટથી આખી દુનિયા થરથર ધ્રુજે છે ત્યાંથી રોજે રોજ સુરતમાં આવે 


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇ કોરોના વર્કર્સ પૈકી 3 ને રસીનો પ્રથમ જ્યારે 560 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 3972 નાગરિકોને રસીનો પ્રથમ અને 32932 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 13556 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 92027 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,43,050 રસીના ડોઝ એક જ દિવસમાં અપાઇ ચુક્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,00,23,305 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube