ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 20 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,13,971 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધરીને 99.09 ટકા સુધી પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના કુલ 14,844 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવાનો રમતા નથી એટલે હાર પચાવવાની શક્તિ ગુમાવે છે, સ્પોર્ટ જીવનમાં પ્રતિભાને દરેક રીતે ખિલવે છે


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 209 એક્ટિવ કેસ છે. જે પૈકી કોઇ પણ નાગરિક વેન્ટિલેટર પર નથી. તમામ 208 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,13,971 નાગરિકો કોરોનાને હરાવી ચુક્યાં છે. તો બીજી તરફ 10,944 નાગરિકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યાં છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે આજે કોરોનાને કારણે એક પણ નાગરિકનું મોત નથી થયું. નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશન 2, અમદાવાદ, ભાવનગર કોર્પોરેશન અને ગાંધીનગર કોર્પોરેશન 1-1 કેસ નોંધાયા હતા. 


VADODARA માં તંત્ર રોજે રોજ થાય છે જલીકટ્ટુનું આયોજન, નાગરિકો ઇચ્છે કે ન ઇચ્છે ભાગ લેવો જ પડે છે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 104 નાગરિકોને રસીનો પ્રથમ અને 2386 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-17 વર્ષના નાગરિકો પૈકી 24 ને રસીનો પ્રથમ અને 741 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 6383 ને પ્રીકોર્શન ડોઝ અપાયો હતો. 12-14 વર્ષના નાગરિકો પૈકી 206 ને રસીનો પ્રથમ અને 4604 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 14,844 કુલ રસીના ડોઝ અને અત્યાર સુધીમાં કુલ 10,99,06,133 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube