ગાંધીનગર : ગુજરાતમાં કોરોના કેસોમાં હવે તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે 347 નવા કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 887 દર્દીઓએ કોરોનાને મ્હાત આપ્યું છે. અત્યાર સુધીમાં 12,05,543 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.74 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ કોરોના વેક્સિનેશન મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 1,60,799 રસીના ડોઝ આપવામાં આવી ચુક્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિગ્ગજ કોંગ્રેસી નેતાની ગધેડાની ચોરી કરવા બદલ ધરપકડ, નેતાની એક હાંકલે રાજ્ય ઉભુ થઇ જતું તે આજે જેલમાં


બીજી તરફ હાલ રાજ્યમાં કુલ 4464 એક્ટિવ કેસ છે. જે પૈકી 40 નાગરિકો વેન્ટીલેટર પર છે. જ્યારે 4424 નાગરિકો સ્ટેબલ છે. જ્યારે 1205543 નાગરિકો અત્યાર સુધીમાં ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જો કે 10,902 નાગરિકો કોરોનાની સામે જીવનનો જંગ હારી પણ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 6 નાગરિકોનાં મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશન 1, વડોદરા કોર્પોરેશનમાં 3 અને જામનગર કોર્પોરેશનમાં 2 નાગરિકોનાં મોત થયા હતા. 


કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: પુત્રીનો કબજો ટ્રાન્સઝેન્ડર વાલીને સોંપવા માટે ચુકાદો આપ્યો


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 12 ને પ્રથમ જ્યારે 46 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2088 ને પ્રથમ અને 6999 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 9118 ને રસીનો પ્રથમ અને 47876 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના નાગરિકો પૈકી 5299 ને પ્રથમ અને 74466 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ ઉપરાંત 14895 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,60,799 અને અત્યાર સુધીમાં કુલ 10,22,89,699 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube