ગાંધીનગર : રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના માત્ર 367 કેસ નોંધાયા છે. તો બીજી તરપ 902 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 12,06,445 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ સુધીરને 98.79 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,86,089 રસીના ડોઝ અપાયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ગુજરાતીને ભગવાને સ્પાઇડર મેન જેવી શક્તિ આપી તો ભાઇએ ચોરીઓ ચાલુ કરી, પોલીસ પણ બે હાથ જોડી ગઇ


બીજી તરફ એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 3925 એક્ટિવ કેસ છે. જે પૈકી 36 વેન્ટીલેટર પર છે જ્યારે 3889 નાગરિકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 12,06,445 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. આ ઉપરાંત કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 10906 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 4 નાગરિકોનાં મોત થયા હતા. જેમાં 2 વડોદરાના નાગરિક, 1 ભરૂચ અને 1 પોરબંદરના નાગરિકનો સમાવેશ થાય છે. 


હિરોઇનને પણ ટક્કર મારે તેવી યુવતી સાથે સગાઇ થતા યુવક ફુલાઇ ગયો પણ પછી યુવતીએ ચાલુ કર્યું કે...


રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 17 ને રસીનો પ્રથમ જ્યારે 40 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3537 ને પ્રથમ જ્યારે 8343 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12199 ને રસીનો પ્રથમ 55004ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 7665 ને પ્રથમ અને 80938 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો ઉપરાંત 18346 વરિષ્ઠ નાગરિકોને પ્રિકોર્શન ડોઝ અપાયો હતો. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,86,089 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 12,24,75,788 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube